સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો

તમારે જે પુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

તમારે જે પુસ્તક ડાઉનલોડ કરવું હોય તેના ફોટા પર ક્લિક કરતા તે ડાઉનલોડ કરી શકાશે

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html
https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

https://project303.blogspot.com/2021/06/exam-book-all.html

 

 

ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિની વિશિષ્ટ વિરાસત ધરાવતું રાજ્ય છે . ગુજરાતની ધરતી પર અનેક જાતિઓએ આદિકાળથી પોતાની આગવી સંસ્કૃતિ સાથે જીત 9 નિર્વાહ કર્યો છે . પ્રકૃતિના ખોળે અરવલ્લી પર્વતની ડુંગરમાળામાં દાંતાથી લઈને ડાંગ સુધીના વિસ્તારમાં પાંગરેલી આદિવાસી સંસ્કૃતિએ પોતાની એક આગવી જીવનરીતિ અને સંસ્કૃતિને ધબકતી રાખી છે . આદિવાસી પ્રજાજનોએ આટઆટલા વૈશ્વિક પરિવર્તનો , સાંસ્કૃતિક આક્રમણો વચ્ચે પણ પોતાની આગવી સંસ્કૃતિને અકબંધ રાખી છે . તેનું જતન કર્યું છે . એ એમની ગરિમાની અદ્ભુત ઓળખ છે . આદિવાસીઓના સમગ્રતયા વિકાસ માટે હંમેશાં પ્રયત્નશીલ રાજ્ય સરકારે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આદિવાસી કુટુંબોને ગુણવત્તાયુક્ત રોજગારી , પરિણામલક્ષી શિક્ષણ , વેગવંતો આર્થિક વિકાસ , સૌને માટે આરોગ્ય , પીવાનું શુદ્ધ પાણી , સિંચાઈ , બારમાસી રસ્તાઓ , સાર્વત્રિક વીજળીકરણ જેવી સવલતો ઉપલબ્ધ કરાવીને આદિજાતીના સર્વાગીણ વિકાસને રાજ્ય સરકારે અગ્રતા આપી છે . ગુજરાતના આદિવાસી પ્રજાની જીવનશૈલી , ધાર્મિક ઉત્સવો , સામાજિક તહેવારો , બોલી , પહેરવેશ , આભૂષણો , રહેણીકરણી , આહાર , કલાઓ વગેરે વિગતોને આવરી લઈ “ આદિવાસી સાંસ્કૃતિક વારસો ’ નામની પુસ્તિકા તૈયાર કરાવી છે . ચિત્રો અને તસવીરોસભર પ્રસ્તુત પુસ્તિકા ગુજરાતના સાહિત્યપ્રેમીઓ , સંસ્કૃતિ અને કલારસિકો , અભ્યાસુઓ અને વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ પડશે એવી શ્રધ્ધા છે .

ગરવી ગુજરાતની ધરતી એટલે કલા , સંસ્કૃતિ અને સંસ્કારનો અખૂટ ખજાનો . લોકજીવનના ઉર્મિધબકાર જે તે પ્રાતના લોકનૃત્યોમાં ઝીલાતા જોવા મળે છે . નૃત્ય એ અભિવ્યક્તિનું એક એવું માધ્યમ છે , જેમાં ભાષા કરતાં ભાવનું વધુ મહત્ત્વ રહેલું છે . ધાર્મિક , સામાજિક પ્રસંગો તથા પર્વો અને મેળાઓમાં નૃત્યોનું આગવું સ્થાન રહ્યું છે . દરેક નૃત્યસ્વરૂપની તેની આગવી ઓળખ હોય છે . શબ્દ , લય અને સંગીતમાં વિવિધ પ્રાંતની સોડમ મહેકતી હોય છે . શાસ્ત્રીય અને લોકનૃત્યોનાં વિવિધ સ્વરૂપો છે . આપણા ગુજરાતનાં લોકનૃત્ય , દાંડિયા રાસ અને આદિવાસી નૃત્યો સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે . શક્તિની ઉપાસના તરીકે અથવા શૌર્યની અભિવ્યક્તિ સ્વરૂપે , પ્રેમ – પીડા , હાસ્ય – રુદન જેવા તમામ ભાવોની ઝલક આપણાં લોકનૃત્યોમાં જોવા મળે છે . ગોફગૂંથન , મેર નૃત્યો સહિતનાં વિવિધ લોકનૃત્યોની વિશેષ માહિતી સાથેની પુસ્તિકા ‘ ગુજરાતનાં લોકનૃત્યો’ના પ્રકાશન માટે ગુજરાત રાજ્ય માહિતી ખાતાને અભિનંદન . આ પુસ્તક કલારસિકોને તથા ઉત્સવપ્રેમીઓને ઉપયોગી થઈ પડશે તેવો મને વિશ્વાસ છે .

ગુજરાતની ધરતી હજારો વર્ષથી કલા , સંસ્કાર અને સંસ્કૃતિથી ધબકતી રહી છે . અહીંના લો કજીવન પાસે લોકસંસ્કૃતિની અને લોકકલાની નીજી વિરાસત છે . જગતભરમાં જેનો જોટો ન જડે એવા લોકજાતિઓ પાસે પોતાના ભાતીગળ વસ્ત્રાલંકારો , ખાનપાન , પશુ અને ઘરના શણગારો , કાષ્ઠ શિલ્પ , ધાતુપાત્રો , લોકમનોરંજન , હથિયારો , મેળા , ઘરનું સ્થાપત્ય , લીંપણ અને ચિત્રો છે . એમાંથી લોકકલાનું સૌંદર્ય જાણે કે સાદ પાડી ઉઠે છે . દેશ – વિદેશમાંથી અભ્યાસુઓ આ વિષયમાં સંશોધન કરવા ગુજરાતમાં આવે છે , અભિભૂત થાય છે અને તસવીરો , ફિલ્મો અને અધ્યયન સામગ્રી સાથે લઇ જાય છે . રાજ્ય સરકારના માહિતી ખાતાની આ પ્રકાશકીય ટીમ દ્વારા જાણીતા લેખક અને સાહિત્યકાર શ્રી જોરાવરસિંહજી જાદવ પાસે “ ગુજરાતનો લોકકલા વૈભવ ’ અલભ્ય તસવીરો સાથે ગ્રંથ તૈયાર કરાવ્યો છે . ચિત્રો અને તસવીરોથી ધબકતો આ મૂલ્યવાન ગ્રંથ ગુજરાતના સાહિત્ય પ્રેમીઓ , ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ , સંસ્કૃતિ અને કલા રસિકોને અત્યંત ઉપયોગી થઇ પડશે . એટલું જ નહીં , પણ પ્રત્યેક ગુજરાતીના ઘરમાં સાચવી રાખવા જેવું ઘરેણું બની રહેશે એવી મને શ્રધ્ધા છે .

ગુજરાતની લોકસંસ્કૃતિના ભાતીગળ રંગો … ગુજરાતની ધરતીને કુદરતે છૂટે હાથે પ્રાકૃતિક સૌંદર્ય બક્યું છે . સૌરાષ્ટ્રની ધરતીને અડીને આવેલો ૧૬00 કિ.મી.નો લાંબો સાગરકિનારો , ડુંગરાની ગાળિયું , જંગલ ને ઝાડિયું વચ્ચે હજારો વર્ષથી સાગરસંસ્કૃતિ , કૃષિસંસ્કૃતિ , ગોપસંસ્કૃતિ , લોકસંસ્કૃતિ અને આદિવાસી સંસ્કૃતિનું સર્જન થયું છે . જગતભરમાં જેનો જોટો જડે નહીં એવી ગુજરાતની ભાતીગળ લોકસંસ્કૃતિ છે . એનો અભ્યાસ કરવા અનેક વિદેશી પર્યટકો અહીં ઊતરી આવે છે . તેઓ ગુજરાતની ધરતીને ગીત , સંગીત અને નૃત્યથી ગુંજતી જોઈને આનંદવિભોર બની જાય છે . ગુજરાતીઓ દેશ – પરદેશમાં જેને માટે ગૌરવ લે છે એ લોકસંસ્કૃતિના સર્જનહાલસમાં લોકઉત્સવો , મેળાઓ , કમાંગરી શૈલીનાં ભીંતચિત્રો , ગુર્જર સુથારોનું કાષ્ઠકંડારણ , હીરભરત , મોતીભરત , પોથીચિત્રો , ચંદરવાનું છાપકામ , કટાબકામ , મોતીપરોવણું , લીપણનકશી , આળેખચિત્રો , રંગોળી , ઘાટસુઘાટનાં ઘરેણાંની સાથે લોકજીવનને મનોરંજન પૂરું પાડી લોકહૈયામાં આનંદનો અબીલગુલાલ ઉડાડનારાં લોકનૃત્યો , ભવાઈ , બાવનપૂતળીનો ખેલ , વાદી , મદારી , ચૂંદડિયા મહારાજ , નટ , બજાણિયા , નાથબાવા , માંકડાં અને રીંછડાં રમાડનારા , તૂરી – બારોટ અને ભાંડની સાથોસાથ લોકજીવનને સંસ્કારનારા ભવૈયાનાં પેડાં , રામલીલા , ઢાઢીલીલા , જોગીલીલા , લોકકથાકારો , લોકસંગીત , સંતવાણી અને ગાગરિયા માણભટ્ટોની ગૌરવપૂર્ણ પંરપરાગત ધરોહર આપણે ત્યાં હતી . આજે આ લોકવિરાસત ધીરે ધીરે લુપ્ત થઈ રહી છે ત્યારે ગૌરવપૂર્ણ વારસાનો પરિચય કરાવવાના શુભાશયથી આ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે . નવી પેઢીના બાળકો આ કલાવારસામાં રસ લેતાં થાય એ પણ એટલું જ જરૂરી છે . આ ગ્રંથમાં ગુજરાતની લોકજાતિયો , તેમનાં વસ્ત્રાલ કારો , લોકઉત્સવો , પવો , મેળા , લોકસંગીત , લોકનૃત્યો , લોકવાદ્યો , ખાનપાન , પશુ શણગારો , રમકડાં , લોકમનોરંજન કરાવનારી લોકજાતિયો , હસ્તલિખિત પોથીઓ , કાછશિલ્પ , હવેલી સ્થાપત્ય , ઘરનું રાચરચીલું , કમાગરોનાં ભીંતચિત્રો , કાચચિત્રો , આદિવાસી ભીંતચિત્રો , લોકભરત , મોતીપરોવણું , કટાવકામ , જૂના પંથકો , અને પરગણાં ઉપરાંત લોકસંસ્કૃતિના વિવિધ પાસાંની વિગતપૂર્ણ ચર્ચા કરી છે . આ વિષયોને સારી રીતે સમજી શકાય તે માટે ચિત્રો અને તસવીરોથી પુસ્તકને હેતુલક્ષી અને કલાપૂર્ણ બનાવ્યું છે . ગુજરાતની લોકસંસ્કૃતિનો પરિચય કરાવવાના શુભાશયથી “ ગુજરાતનો લોકકલા વૈભવ ” પુસ્તકનું પુનઃપ્રકાશન થઈ રહ્યું છે . આ ગ્રંથ લોકસંસ્કૃતિપ્રેમી , અભ્યાસુઓ અને ગુજરાતીઓના ઘરનું ઘરેણું બની રહેશે એમ હું વિનમ્રપણે માનું છું . મને શ્રદ્ધા છે કે ગુજરાતની લોકવિદ્યા , લોકસંસ્કૃતિ , લોકસાહિત્ય અને લોકકલામાં રસ ધરાવનાર સૌ કોઈને અને દૂર દેશાવર વસતાં ગુજરાતીઓને માટે આ ગ્રંથ માહિતીપ્રદ બની રહેશે . ગુજરાત સરકારના માહિતી ખાતા તરફથી આ મૂલ્યવાન ગ્રંથ તૈયાર કરાવીને પ્રગટ કરવામાં આવ્યો છે . એ માટે માહિતી નિયામક , સંયુક્ત માહિતી નિયામક શ્રી પુલકભાઇ ત્રિવેદી તથા નાયબ માહિતી નિયામકશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું . આ પુસ્તકમાં ચિત્રકારો સર્વ શ્રી રવિશંકર રાવલ , સોમાલાલ શાહ , જ્યોતિ ભટ્ટ , વાસુદેવ સ્માર્ત , ખોડીદાસ પરમાર , પ્રદ્યુમ્ન તન્ના , નાગજીભાઈ ચૌહાણ , અશોક ખાંટ , પ્રતાપસિંહ જાડેજા , દિનુ પટેલ , સવજી છાયા અને ઊમરશી પરમાર , ગૌતમ વાઘેલા તથા ગુજરાત લોકકલા ફાઉન્ડેશન તરફથી કલાપૂર્ણ ચિત્રો તથા શ્રી પ્રાણલાલ પટેલ , ઝવેરીલાલ મહેતા , વિવેક દેસાઇ , ભાટી એન . અમૂલ પરમાર , શાહ , જોગેશ ઠાકર , એ . એલ સોની , દિલિપ પઢિયાર , હેમાંગ દેસાઇ તથા મણિલાલ રાજપૂતની મનોહર તસવીરો મળી છે એ સૌનું હૃદયપૂર્વક ઋણ સ્વીકારું છું .

ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો ડાઉનલોડ કરો. જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે.

● આદિવાસી સંસ્કૃતિ વારસો

● ગુજરાતના લોકનૃત્યો

● ગુજરાતનો લોકકલા વૈભવ

● ગુજરાતની સ્થાપત્યકલા

● ગુજરાતના લોકાત્સ્વો અને મેળાઓ

● આદિજાતિની યોજનાઓ

● ગુજરાતની લોકસંસ્કૃતિ

● ગુજરાતનો પુરાત્વીય વારસો

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા ખાસ નમ્ર વિનંતી. ..

ગુજરાતના ઇન્ફોર્મેશન વિભાગ દ્વારા બહાર પાડેલ પુસ્તકો ડાઉનલોડ કરો. જે તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી થશે.

Leave a Comment