Ahmedabad Rojgar Bharti Mela 2023 : ધોરણ 10 પાસ 12 પાસ લાયકાત પર અમદાવાદમાં રોજગાર ભરતી મેળો, જુઓ ભરતી સમય અને સ્થળ

Ahmedabad Rojgar Bharti Mela 2023 : રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી, ગાંધીનગર દ્વારા સંચાલિત મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / રાણીપ આઈટીઆઈ રાણીપ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આયોજિત રોજગાર ભરતી મેળો અમદાવાદ 2023નું આયોજન થયેલ છે. આ ભરતી મેળામાં 20થી વધુ કંપનીઓ દ્વારા 1000થી વધુ જગ્યાઓ માટે job ઓફર થશે.આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની લાયકાત શું હોય છે ? તથા ભરતી મેળાનું આયોજન કોના દ્વારા અને કઈ જગ્યાઓ તથા ભરતી મેળાનો સમય કયો હોય છે ? તે સંપૂર્ણ માહિતી જાણો અહીથી.

Ahmedabad Rojgar Bharti Mela 2023

Ahmedabad Rojgar Bharti Mela 2023

પોસ્ટનું નામ અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023
જગ્યાઓ 1000+
સંસ્થા શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર
સ્થળ અમદાવાદ
ભરતી મેળા તારીખ 10-03-2023
વેબ સાઈટ anubandham.gujarat.gov.in

અમદાવાદ રોજગાર ભરતી મેળો શું છે?

ગુજરાત રોજગાર કચેરીએ રોજગાર ભારતી મેળોમાં નોકરી વાંચ્છુક ઉમેદવારોમાં ભાગ લેવા અનુબંધમ પોર્ટલ શરૂ કર્યું છે. જેમાં એમ્પ્લોયર અને જોબ ઇચ્છુક બંને તરફથી વન ટાઈમ રજીસ્ટ્રેશન રાખવામાં આવેલ છે.અહીં તમે રજીસ્ટર કરી તમારા જિલ્લામાં ની નોકરી ની માહિતી મેળવી શકો છો

Ahmedabad Rojgar Bharti Mela 2023

અમદાવાદ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન તારીખ 10-03-2023ના રોજ સવારે 10 વાગ્યે કરવામાં આવ્યું છે આપેલ લાયકાત ધરાવતા ઉમેદવારો ભરતી મેળામાં ભાગ લઇ શકશે. આ રોજગાર ભરતી મેળો 2023માં અમદાવાદ જીલ્લાની નામાંકિત કાર્યાન્વિત અગ્રગણ્ય કંપનીઓ ઉપસ્થિત રહી નોકરીની ઓફર કરશે.

ગુજરાત રોજગાર ભરતી મેળો 2023માં ફીટર, વેલ્ડર, સિક્યુરીટી ગાર્ડ, હેલ્પર, ટેકનીશીયન, ટેલીકોલર, રીલેશનશીપ મેનેજર, એકાઉન્ટન્ટ, સેલ્સ એક્ઝીક્યુટીવ, એચઆર એક્ઝીક્યુટીવ, લાઈન મેન. એન્જિનિયર વગેરે પોસ્ટ માટે મેન્યુફેક્ચરીંગ સેક્ટર, સર્વિસ સેક્ટર, બેન્કિંગ સેક્ટર, ફાર્મા સેક્ટર માટે job ઓફર કરશે.

પોસ્ટ

  • વિવિધ જગ્યાઓ

શૈક્ષણિક લાયકાત

ધોરણ 9 પાસ, 10 પાસ, 12 પાસ, ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજયુએટ, આઈ.ટી.આઈ તેમજ ડીપ્લોમાં બીઈ વગેરે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો અમદાવાદ રોજગાર ભરતી મેળા 2023માં ભાગ લઇ શકશે. તેમજ સ્વરોજગાર કરવા ઈચ્છા ધરાવતા ઉમેદવારો માટે પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર દ્વારા ગુજરાત સરકારના અન્ય વિભાગો દ્વારા આપતી લોન સહાય તેમજ યોજનાકીય માહિતી માટે સ્વરોજગાર પુસ્તિકા તેમજ માહિતી અને માર્ગદર્શન આપવામાં આવશે. રોજગાર ભરતી મેળા અમદાવાદ 2023માં 20 કરતા વધારે કંપનીઓ સ્થળ પર ઈન્ટરવ્યું લેવા ઉપસ્થિત રહેશે.

જરૂરી દસ્તાવેજો

  • પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, લાઈસન્‍સ, પાસપોર્ટ વગેરેમાંથી કોઈપણ એક
  • લાયકાતની માર્કશીટ
  • અનુભવની વિગત દર્શાવતું પ્રમાણપત્ર

Ahmedabad Rojgar Bharti Mela 2023 પગાર ધોરણ

  • અમદાવાદ ખાતે આયોજિત રોજગાર ભરતી મેળા 2023માં વાર્ષિક રૂપિયા 1 લાખ થી 3.5 લાખ સુધીના પેકેજ વાળી job ઓફર થશે. એટલે લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો આ ભરતી મેળામાં જોડાઈ શકે છે.

Ahmedabad Rojgar Bharti Mela 2023 સ્થળ અને સમય

  • અમદાવાદ રોજગાર ભરતી મેળો 2023નું આયોજન આઈટીઆઈ રાણીપ, આઈઓસી પેટ્રોલ પંપની સામે, ન્યુ રાણીપ ચેનપુર રોડ, ચેનપુર, અમદાવાદ ખાતે તારીખ 10-03-2023ને સમય 10:30 કલાકે કરવામાં આવ્યું છે.

પસંદગી પ્રક્રિયા

  • પ્રસ્તુત ભરતીમાં ઉમેદવારની પસંદગી ઇન્ટરવ્યૂના આધારે કરવામાં આવશે, વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાત તપાસો

મહત્વપૂર્ણ લિન્ક

સત્તાવાર જાહેરાત Click Here
HomePage Click Here

Talim Rojgar Gujarat Online Registration 2020 @Talimrojgar Gujarat Gov In

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

અનુબંધમ રોજગાર પોર્ટલ સત્તાવાર વેબસાઈટ કઈ છે ?

Official Website Is https://anubandham.gujarat.gov.in/home

અમદાવાદ રોજગાર ભરતી મેળો તારીખ કઈ છે ?

અમદાવાદ રોજગાર ભરતી તારીખ 10/03/2023 યોજાશે

Leave a Comment