LPG Price Hike : LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો: ઉજ્જવલા યોજના હેઠળ LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી, મોદી કેબિનેટનો નિર્ણય

રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર મોંઘવારીથી ત્રસ્ત લોકોને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાનો સામનો કરી રહેલી મોદી સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ લાભ માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળશે.

LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો

ઓગસ્ટની પહેલી તારીખે રાજધાની દિલ્હીમાં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા હતી. તે જ સમયે, એલપીજી સિલિન્ડરની કિંમત મુંબઈમાં 1102.50 રૂપિયા, કોલકાતામાં 1129 રૂપિયા અને ચેન્નાઈમાં 1118.50 રૂપિયા હતી. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે.

200 rupees lpg cylinder subsidy announcement
LPG ભાવમાં 200 રુપિયાનો ઘટાડો: ઉજ્જવલા યોજના હેઠળ LPG સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડીને મંજૂરી, મોદી કેબિનેટનો નિર્ણય 2

 

કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય

સરકારના જણાવ્યા અનુસાર, ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સિલિન્ડરની કિંમત 200 રૂપિયા સસ્તી થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

કેન્દ્ર સરકારે ગયા વર્ષે જ સ્પષ્ટ કર્યું હતું કે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ રાંધણ ગેસ પર સબસિડીનો લાભ મળશે. અન્ય કોઈને રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી આપવામાં આવશે નહીં. ઉજ્જવલા યોજના હેઠળ સરકાર પહેલાથી જ 200 રૂપિયાની સબસિડી આપતી હતી. હવે તેને 200 રૂપિયાની વધારાની સબસિડી મળશે.

 

રક્ષાબંધનમાં લોકોને રાહત

રક્ષાબંધનના અવસર પર મોદી સરકાર મોંઘવારીથી ત્રસ્ત લોકોને સસ્તા એલપીજી સિલિન્ડરની ભેટ આપવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોંઘા એલપીજી સિલિન્ડરને લઈને વિપક્ષના સતત હુમલાનો સામનો કરી રહેલી મોદી સરકારે ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 200 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જોકે, આ લાભ માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ મળશે.

 

12 એલપીજી સિલિન્ડર પર સબસિડી

ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓ એક વર્ષમાં કુલ 12 રાંધણ ગેસ સિલિન્ડર પર સબસિડી મેળવી શકે છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વર્ષ 2016માં શરૂ કરવામાં આવી હતી. આ અંતર્ગત સરકાર ગરીબી રેખા (બીપીએલ) નીચે રહેતા પરિવારોને મફતમાં LPG કનેક્શન આપે છે.

સબસિડી મેળવવા માટે તમારે તમારો આધાર નંબર LPG કનેક્શન સાથે લિંક કરવો પડશે. સબસિડી મેળવવા માટે તમારું આધાર ગેસ કનેક્શન સાથે લિંક હોવું આવશ્યક છે. 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની સબસિડી મળે છે. માર્ચ 2023 સુધીના સરકારી ડેટા અનુસાર, સરકારે ઉજ્જવલા યોજના હેઠળ 9 કરોડથી વધુ મફત રસોઈ ગેસ કનેક્શન્સનું વિતરણ કર્યું હતું. પેટ્રોલિયમ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે 14 કિલોના ઘરેલુ અને 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતો નક્કી કરે છે.

 

15 ઓગસ્ટે પીએમ મોદીએ મોઁઘવારીમાંથી રાહતની કરી હતી વાત

પીએમ નરેન્દ્ર મોદીએ પણ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં મોંઘવારીથી રાહત આપવા માટે પગલા લેવાની વાત કરી હતી જે પછી સૂત્રોએ આવો દાવો કર્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને તેના વિશે ગમે ત્યારે જાહેરાત કરી શકાય છે. માનવામાં આવી રહ્યું છે કે, આના દ્વારા સરકાર મોંઘવારીના મોરચે તેને ઘેરી રહેલા વિપક્ષોને ખાળી શકાશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે સિલિન્ડર મોંઘવારીના મુદ્દાને મુદ્દો બનાવી દીધો હતો અને તેની અસર પણ જોવા મળી હતી. આવી સ્થિતિમાં લોકસભા ચૂંટણી અને તે પહેલા અનેક રાજ્યોની વિધાનસભા ચૂંટણીને જોતા સરકાર મોંઘવારીથી મોટી રાહત આપવાની તૈયારી કરી ચૂકી છે.

મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષમાં અમે ફુગાવાને અંકુશમાં લેવા માટે તમામ પ્રયાસો કર્યા છે. પરંતુ અમે ત્યાં રોકાવાના નથી. મારા પ્રયત્નો ચાલુ રહેશે. પીએમ મોદીએ મોંઘવારીને રોકવાના ઉપાયો વિશે કહ્યુ હતુ કે આપણી સ્થિતિ દુનિયાથી સારી છે, અમે આનાથી સંતુષ્ટ ન થઈ શકીએ. દેશવાસીઓને મોંઘવારીથી રાહત આપવા માટે આપણે કેટલાક વધુ પગલાં ભરવા પડશે અને અમે તેમ કરતા રહીશું.

Leave a Comment